Translate

Translate

Thursday, November 20, 2008

હું છું પ્રવાસી સતત વિચરતો


હું પ્રવાસી
હું છું પ્રવાસી સતત વિચરતો, નહી વિસામો નહીં અજંપો;
બહાર ઘુઘવે દુઃખનો દરિયો, અંતરમાંયે છે ખાલીપો.;
શોધું એવો ઈલમ જગતમાં, છૂંટે સઘળા જનનાં દ્વંદ્વો.
સંત વિચારે મારગ એનો; ભજન કરીને જગત સુધારે.
તત્વગ્નાનને ભણી ગણીને; વિચારકો મનમાં મુઝાએ.
શિક્ષણમાં બદલાવ લાવીને; શિક્ષણવિદો તો હરખાએ.
અને વળી, કોઈ સાચા નેતા; સહાય,સમિતિમાં અટવાયે.
શાસક પણ શાને રહે બાકી, ઘડી કાયદા જગ બદલાવે.
ત્યારે, સતત વિચરતો હું પ્રવાસી, રહી જાઉ શાને હું બાકી,
સંત,વિચારક, શિક્ષક નેતા, સૌ નિકળ્યા છે જગને બદલવા
પણ શું એ શક્ય નથી કે, કૃષ્ણ તણો ગીતાસંદેશો,
પ્રત્યેક માનવમાં લઈ જાઓ,
ઉપાય એનો એકમાત્ર છે, સમાજ નહિં માણસ બદલાવો.

પ્રેરણાપીયૂષનાં ધ્યેયને પ્રગટ કરતું આ કાવ્ય સને ૨૦૦૧માં પ્રીન્ટ મીડીયામાં પ્રેરણાપીયૂષનો પ્રથમ અંક પ્રગટ થયો તેનાં પહેલા પાને પ્રસિદ્ધ થયું હતું. આજે આટલા વર્ષો પછી પણ માનવમાત્રમાં બદલાવ લાવવાની નેમ અને નીતિ આ બ્લોકની પણ રહેશે, તે ભાવ પ્રગટ કરવા જ આ કાવ્ય મુકાયેલું છે.

કારણ કે, કોઈ પણ સહાય, સમિતિ, શિક્ષણવ્યવસ્થા કે સમાજવ્યવસ્થા બદલ્યા પછી પણ

જે સમગ્ર સંસ્કૃતિનાં ગુરુત્વકેન્દ્રબિંદુ એવો

માનવ એટલે કે વ્યક્તિ, એટલે કે હું પોતે,

જ્યાં સુધી અંતર્મુખ થઈ મારા પોતામાં પરિવર્તન નહી આણું

ત્યાં સુધી અન્ય પરિવર્તનોનો કોઈ જ અર્થ નથી.

ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના કરતા પહેલા મંગલાચરણમાં જ એકરાર કર્યો કે,

સ્વાંન્તઃ સુઃખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષાનિબંધમતિ મંજુલમાતનોતિ.... અને એજ મીજાજથી આ બ્લોગ અને પ્રેરણાપીયૂષનાં નામે અત્યાર સુધી જે કંઈ પ્રસિદ્ધ થયું છે, તે તમામ લખાણ માત્ર માહ્યલાની ખુસી માંટે સ્વપરિવર્તન અર્થે જ લખાયું છે એવી વાચકો નોંધ લે.

–ધર્મેન્દ્રસિંહ રણા

No comments: